14 Oct 2015
૧૪ ઓક્ટોબર ૨૦૧૫ - અમદાવાદ
મુખ્ય આયોજન
- ડૉ.
કોમલ સરધારા (બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ)
ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે માત્ર બિલાડી અને ઉંદર જેવો જ સંબંધ હોય છે. એવી ગેરમાન્યતા સમાજમાં પ્રસરેલી છે. દિવસે ને દિવસે સમાજની ડોક્ટરો સાથેની આત્મીયતા ઘટી રહી છે. દર્દીઓ ડોક્ટરોને માત્ર પૈસા લૂંટનારા તરીકે જ સમજવા લાગ્યા છે. ત્યારે સ્પંદન ટ્રસ્ટના ડોક્ટરો દ્વારા દર્દીઓને ઉપયોગી થવાય, દર્દીઓની તકલીફ સમજી શકાય એવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરીને દર્દી અને ડોક્ટરોના સંબંધો મજબૂત બને એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આવા જ એક સેવાકીય કાર્યક્રમનું સ્પંદન ટ્રસ્ટ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું. સ્પંદન ટ્રસ્ટના વાઈસ પ્રેસિડન્ટ તથા બી. જે. મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવી રહેલા ડો. કોમલ સરધારાની આગેવાનીમાં આ કાર્યક્રમું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે સ્પંદન ટ્રસ્ટના સદસ્યો દ્વારા સિવિલ હોસ્પિટલ, અમદાવાદના બાળકોના વિભાગ તથા બિનવારસી વ્યક્તિઓના વિભાગમાં દાખલ થયેલા અંદાજીત ૧૫૦ દર્દીઓ માટે સરસ મજાના તાજા ફળોની ખરીદી કરવામાં આવી હતી.
આ માટે ડો. કોમલ સરધારા દ્વારા ૨૫ કિલો સફરજન, ૨૫ કિલો સંતરા, ૨૦ કિલો કેળા તથા ૨૦ કિલો ચીકુની ખરીદી કરવામાં આવી હતી. આ તમામ ફળોને પાણીથી સાફ કરીને બેગમાં પેક કરીને સ્પંદન ટ્રસ્ટના સદસ્યો લક્ષ્મણ ભમ્મર, પ્રદીપ પરાલિયા, જીનલ વઘાસિયા, પૂજા પંચાલ, પ્રિયંકા રામાનુજ, હર્ષ મુલિયા, પ્રતિક પરમાર તથા પ્રશિલ શાહ સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં પહોંચ્યા હતા.
જ્યારે તમામ બાળ દર્દીઓને આવા સરસ મજાના ફળો ડોક્ટરો દ્વારા આપવામાં આવ્યા ત્યારે તેમને અહેસાસ થયો કે માત્ર કડવી દવા આપવાનું કામ જ ડોક્ટરો નથી કરતાં. સાંજના સમયે મળેલી આવી પૌષ્ટિક ભેટ ભલે સાવ નાની લાગે પણ એમાંની ડોક્ટર-દર્દી વચ્ચેની લાગણી ખૂબ જ વિશાળ હતી.
એજ રીતે જ્યારે બિનવારસી વ્યક્તિઓના વિભાગમાં સ્પંદન ટ્રસ્ટના સદસ્યો પહોંચ્યા ત્યારે ત્યાંનો અનુભવ સાવ જુદો જ હતો. સામાન્ય રીતે આપણે માંદા પડીએ અને હોસ્પિટલમાં દાખલ થઈએ ત્યારે આપણા સગાવ્હાલાઓ તથા મિત્રો ફ્રુટ, ફૂલ કે શુભેચ્છા સાથે આપણને મળવા આવતા હોય છે. પણ બિનવારસી વિભાગના દર્દીની પડખે કોઈ હિંમત આપનારું હોતું નથી. જ્યારે આવા દર્દીઓ પાસે સ્પંદન ટ્રસ્ટના ડોક્ટરો તથા તબીબી વિદ્યાર્થીઓ ફ્રુટ લઈને પહોંચ્યા ત્યારે એ તમામ દર્દીઓના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. આ કળિયુગમાં કોઈ સંબંધ કે લાલચ વગર અને એ પણ ડોક્ટરો દ્વારા જ મળતી આવી ભેટ એ તમામ દર્દીઓ માટે મહત્વની હતી.
સ્પંદન ટ્રસ્ટના સદસ્યો માટે પણ આ નવો જ અનુભવ હતો. જ્યારે ડોક્ટર મટીને એક દર્દીને માણસાઈથી જોવાની શરુઆત કરવામાં આવશે ત્યારે આપોઆપ દર્દીને ડોક્ટર પ્રત્યે માન થશે જ, અને તો જ એ દર્દી સાજો થશે. શારીરિક બિમારી દૂર કરી ડોક્ટર જો ફીનું બિલ મુકે એટલે દર્દીની માનસિક બિમારી શરુ થઈ જાય છે અને એમાંથી જ ક્યાંક ધીમે ધીમે એમનો સંબંધ લાગણીસભર રહેતો નથી. પણ આવા કાર્યક્રમો તબીબ વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે કરવામાં આવશે તો ભવિષ્યમાં ડોક્ટરો તથા દર્દીઓ વચ્ચે વધુ સારી રીતે આત્મીયતા કેળવાશે. આવા જ સારા ઉદ્દેશ્યથી સ્પંદન ટ્રસ્ટના વાઈસ પ્રેસિડન્ટ ડો. કોમલ સરધારા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
If you are a creative medical / paramedical student or practitioner and want to explore & share your talent with the world, we heart
Read More »We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, Appointment…
Read More »Spandan Trust organizes the social activities with sharing the creativity of medicos to generate awareness among the people and to help
Read More »SUCCESS :
No comment yet for this events..!